Horoscope Today 29 April 2022: 29 એપ્રિલ, 2022 શુક્રવારે શનિ મહારાજ પોતાની રાશિ કુંભ રાશિમાં આવી રહ્યા છે. આ ઉપરાંત આજે ચંદ્રમા મીન રાશિમાંથી મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ બંને ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે આજે મેષ રાશિમાં ગ્રહણ યોગ બનશે, જ્યારે કુભ રાશિમાં શનિ મંગળનો સંયોગ થશે. ગ્રહોની આ સ્થિતિ વચ્ચે તમારા માટે આજનો દિવસ કેવો રહેશે. જુઓ ગણેશજીના આશીર્વાદથી કઈ-કઈ રાશિઓ પર સિતારાઓ મહેરબાન રહેશે.
મેષ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે, આજે તમારા પરિવારમાં પરસ્પર સૌહાર્દ વધશે. પ્રોફેશનલ લાઈફમાં દરેક બાબતને લઈને સ્પષ્ટ વલણ રાખો. આજે વ્યાવસાયિક દૃષ્ટિકોણથી બધું ઠીક ચાલશે. તમારી આવક સારી રહેશે. કેટલાક લોકોને વિદેશ યાત્રા અને વિદેશથી સંબંધિત ખુશખબરી મળી શકે છે. જો તમે ઉચ્ચ અભ્યાસ, નોકરી અથવા વ્યવસાય માટે વિદેશ જવા માંગો છો તો તમને તમારા પોતાના પ્રયત્નોથી સફળતા મળશે.
આજે ભાગ્ય 90 ટકા તમારી સાથે રહેશે. ભગવાન ગણેશજીની પૂજા-આરાધના કરો.
વૃષભ રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે, આજના દિવસે તમારે દરેકની સાથે વિનમ્રતાથી વાત કરવી જોઈએ. રાજકારણમાં સંપર્ક વિસ્તાર વિશાળ રહેશે. કેટલીક નવી તકો મળવાના સંકેત છે. સરકારી કામોમાં પૈસા રોકવાના યોગ બની રહ્યા છે. પૈસાની લેવડ-દેવડમાં સફળતા મળશે. પરિવારના તમામ સભ્યો સાથે તમારું પારિવારિક જીવન આનંદમય અને આરામદાયક રહેશે.
આજે ભાગ્ય 76 ટકા સુધી તમારી સાથે છે. લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો.
મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે, આજનો તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. પરિવારના કોઈ યુવાન સભ્યની સફળતા પર ગર્વ કરશો. વેપારી માટે આજનો દિવસ લાભદાયી રહેશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થવાથી તમે ખર્ચ કરવાના મૂડમાં રહેશો. નવા કામમાં થોડી અડચણો આવી શકે છે. આવેશમાં આવવાને બદલે શાંત દિમાગથી કામ લો. તમારા બોસ અને ઉચ્ચ અધિકારીઓ તમને ભ્રમિત કરી શકે છે. તેઓ તમારા કામમાં થોડી નકારાત્મક પ્રભાવ પેદા કરશે.
આજે તમારું ભાગ્ય 75 ટકા તમારી સાથે રહેશે. હનુમાનજીની પૂજા કરો.
કર્ક રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે, આજના દિવસની શરૂઆત સામાન્ય રહેશે. તમે પૈસાની ગોઠવણમાં વ્યસ્ત રહેશો. જો તમે પરિવારના કોઈ સભ્ય સાથે વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો સારું રહેશે. કામકાજની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. ટક્કરની સ્થિતિ તમારા માટે ફાયદાકારક રહેશે નહીં. પરિવારના સભ્યોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરશો. આજે તમે પ્રતિબદ્ધતાઓથી ઘેરાયેલા રહેશો, પરંતુ સારા સ્વાસ્થ્ય માટે તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો.
આજે ભાગ્ય 90 ટકા તમારા પક્ષમાં રહેશે. કનકધારા સ્ત્રોતનો પાઠ કરો.
સિંહ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે, આજે તમે દરેકની વાત જાણવાનો પ્રયાસ કરશો. નવા પડકારોનો સામનો હિંમતથી કરો, માર્ગ સરળ રહેશે. જમીન અને મિલકત સંબંધિત કાર્યોમાં તમને સફળતા મળશે. જો મહિલાઓ ઘરેલું વ્યવસાય શરૂ કરવા માંગે છે, તો આજનો દિવસ સારો રહેશે. તમારી આવકમાં વધારો થશે અને તમને નાણાકીય લાભ મેળવવાના નવા રસ્તાઓ પણ મળશે.
ભાગ્ય આજે તમારો 81% સાથ આપશે. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
કન્યા રાશિના લોકો માટે ગણેશજી કહી રહ્યા છે કે, આજે સાંજ સુધીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સખત મહેનતની મદદથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ થશે. પ્રોજેક્ટ સમયસર અમલમાં લાગુ કરી શકશો. વેપારમાં લાભની તકો મળશે. કોઈ જગ્યાએથી પૈસા મળવાની રાહ જોશો. નવી કામ અને નોકરી બદલવા માટે આ સારો સમય છે. નોકરી શોધનારાઓને સારા પરિણામ મળશે.
આજે ભાગ્ય 92 ટકા તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.
ગણેશજી તુલા રાશિના જાતકોને કહે છે કે, આજે નવા લક્ષ્યો નક્કી કરો અને તમારા પ્રયત્નો શરૂ કરી દો. તમે કેટલીક બિઝનેસની બાબતોને સમજદારીથી ઉકેલ લાવી શકો છો. ધનમાં વધારો થઈ શકે છે. આજે કોઈ પણ કામ કરતી વખતે તમારે તમારું મન શાંત રાખવું જોઈએ. ગૃહસ્થ જીવનમાં થોડી નવીનતાનો અનુભવ થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. સંતાન અથવા પ્રેમ સંબંધ સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
ભાગ્ય આજે 60 ટકા સુધી તમારી સાથે છે. માતા-પિતાના આશીર્વાદ લો.
વૃશ્ચિક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે, આજે આત્મવિશ્વાસ અને સખત પરિશ્રમથી દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી લેશો. બિઝનેસ વધારવા માટે તમે બેંક પાસેથી લોન લઈ શકો છો. તમે ક્યાંક ઉધાર આપેલાં પૈસા પરત મળી શકે છે. નવી નોકરીમાં તમને ઘણી સફળતા મળશે. સાસરિયાઓ સાથે વાતચીત થશે. તમારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ તમને કોઈપણ પરિસ્થિતિમાં સફળ બનાવશે. શિક્ષણ ક્ષેત્રે રહેતાં લોકોને સફળતા મળશે.
આજે તમારું ભાગ્ય 85 ટકા રહેશે. ગાયને લીલો ચારો ખવડાવો.
ધન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે, આજે તમે પોતાને ફિટ અનુભવશો. દરેક વ્યક્તિ તમારી સમજણ અને શિષ્ટતાથી ખૂબ પ્રભાવિત થશે. બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. પૈસાની બાબતમાં રસપ્રદ ઓફર મળી શકે છે. બીજાની સામે તમારી વાત ખુલીને જણાવો. જીવનસાથી સાથે થોડો સમય વિતાવવાથી અને તેમની સમસ્યાઓને ધ્યાનથી સાંભળવાથી અને લાગણીઓને સારી રીતે સમજવાથી સંબંધ મજબૂત થશે.
આજે 82 ટકા ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. માતા લક્ષ્મીની પૂજા કરો.
ગણેશજી મકર રાશિના લોકોને કહી રહ્યા છે કે, મહિલાઓ માટે આજનો દિવસ શુભ છે. દરેકની પ્રાર્થનાની અસર કંઈક સુખદ પરિણામ લાવશે. તમે તમારી જાતને ઊર્જાવાન અનુભવશો. અટકેલાં કામમાં ગતિ મળવાથી લાભ થશે. પારિવારિક સંપત્તિ મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. વેપાર ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓનો તમે મક્કમતાથી સામનો કરશો. પ્રગતિશીલ ફેરફારો તમારા માટે અદભૂત કામ કરશે.
ભાગ્ય આજે તમારો 72 ટકા સાથ આપશે. ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો.
કુંભ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે, આજે તમને ચારેબાજુથી ખૂબ જ વખાણ મળવાના છે. જો મહત્વપૂર્ણ કામ ઘણા દિવસોથી પેન્ડિંગ હોય તો આજે જ પૂરું કરો. તમે સારું નાણાકીય આયોજન કરી શકશો. યુવાનોને નવી નોકરી મળવાની સંભાવના છે. ઘર-ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. નાણાકીય રીતે, તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું ઈનામ મેળવી શકો છો.
આજે ભાગ્ય 92 ટકા તમારી સાથે રહેશે. ગણેશજીને લાડુનો ભોગ ચઢાવો.
ગણેશજી મીન રાશિના લોકોને કહી રહ્યા છે કે, આજના દિવસે તમારે દરેક સાથે વિનમ્રતાથી વાત કરવી જોઈએ. રાજકારણમાં સંપર્ક વિસ્તાર વિશાળ રહેશે. કેટલીક નવી તકો મળવાના સંકેત છે. સરકારી કામોમાં પૈસા રોકવાની સંભાવના છે. પૈસાની લેવડ-દેવડમાં સફળતા મળશે. સારા કામના કારણે નોકરીમાં પ્રગતિ અને ઉચ્ચ પદ મળવાના સંકેત છે. પરિવારના સભ્યો સાથે મુસાફરી કરવાથી આનંદ અને શાંતિ મળશે.
સ્વતંત્ર સમાચાર