Foods to Control High Blood Pressure: અનેક રિસર્ચમાં એવું સાબિત થઇ ગયું છે કે, બ્લડપ્રેશર હાઇ રહેવા પાછળ અમુક પ્રકારનો ખોરાક જવાબદાર છે. ઉપરાંત ચોક્કસ પ્રકારના ડાયેટથી તમે તેને કંટ્રોલ પણ કરી શકો છો. આ વર્ષે વર્લ્ડ હાઇપર ટેન્શન ડે (World Hypertension Day 2022 Theme) પર નિયમિત રીતે બ્લડપ્રેશર ચેકઅપ અને યોગ્ય લાઇફસ્ટાઇલ છે. અહીં જાણો, હેલ્ધી હાર્ટ અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે કેવા પ્રકારના સુપર ફૂડ્સ મદદ કરી શકે છે. આ માટે અમદાવાદના ન્યૂટ્રિટીવ રૂટ્સ (@nutritive_roots)ના ફાઉન્ડર અને ડાયેટિશિયન હેતી વર્મા (Heti Varma, Registered Dietitian, Diabetes Educator) હાઇ-ફાઇબર ડાયેટ (High-Fiber Diet) વિશે માહિતી આપી છે.
હાઇ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે વ્યક્તિએ પોતાના ડાયેટમાં ફાઇબર રિચ ફૂડ્સ સામેલ કરવા જોઇએ. આ સિવાય રેડ કલર ફ્રૂટ્સ જેમ કે, પપૈયું, સફરજન વગેરે ખાવા જોઇએ. ખાસ કરીને વિટામિન એ જેમાંથી મળી રહેતું હોય તેવા પ્રકારના ફ્રૂટ્સને તમારાં ડાયેટમાં સામેલ કરો. કારણ કે, હાઇ ફાઇબરથી બોડી ફેટ પર્સન્ટેજ ડાઉન થશે, જેની સીધી અસર બ્લડપ્રેશર પર થશે. ફેટ ડાઉન થશે તો બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં સરળતા રહેશે.
ડૉ. હેતી વર્માના જણાવ્યા અનુસાર, હ્યૂમન હેલ્થ માટે જરૂરી તમામ ન્યૂટ્રિએન્ટ્સ તમને ગ્રીન લીફી વેજીટેબલ્સ (green leafy) એટલે કે, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળી રહેશે. જેમાંથી હાઇ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા ઉપરાંત પણ તે શરીર માટે જરૂરી તમામ પોષક તત્વો પુરાં પાડે છે. લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે, પાલક, ભાજી, લીલી સરસવ, કોબીજ વગેરે તમારાં ડાયેટમાં સામેલ કરો અને બ્લડપ્રેશરથી રાહત મેળવો.
બ્લડપ્રેશર કંટ્રોલ કરવા માટે ઓમેગા-3 રિચ ફૂડ્સ પણ લેવા જરૂરી છે. સ્ત્રીઓમાં બ્લડપ્રેશરની તકલીફ હોય ખાસ કરીને મોનોપોઝ અને હાઇ બ્લડપ્રેશર બંને હોય તો કૂકિંગ ઓઇલ્સ પર ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે.
આગળ જાણો, હેતી વર્માએ વિમેન્સ હેલ્થને જાળવવા માટે શું માહિતી આપી છે. આ સિવાય ક્યા પ્રકારના ફ્રૂટ્સ અને ફૂડ્સ તમારાં બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થશે તેના વિશેની માહિતી.
આથો લાવેલા હોય તેવો ખોરાક (Fermented foods)માં હેલ્ધી બેક્ટેરિયા અને યીસ્ટ રહેલા હોય છે જે બ્લડપ્રેશરની બીમારીમાં ફાયદાકારક સાબિત થાય છે. રિસર્ચ અનુસાર, આથો લાવેલા ફૂડ બ્લડપ્રેશરમાં વધારો કરતાં એન્ઝાઇમ્સને લૉક કરે છે. જો કે, વધારે પડતાં મીઠાવાળા આથેલા ખોરાકની ડોક્ટર્સ મનાઇ કરે છે, કારણ કે આનાથી સ્થિતિ સુધરવાના બદલે વધુ વણસી શકે છે.
બીટનો જ્યૂસ (beetroot juice for high blood pressure) તમારાં હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે. રિસર્ચ અનુસાર, બીમાર વ્યક્તિ એક મહિના સુધી 1 કપ બીટરૂટ જ્યૂસ (beetroot juice) પીવે છે તો તેમના બ્લડપ્રેશરમાં આપમેળે ઘટાડો જોવા મળે છે. રાંધેલા અને કાચા બીટ બ્લડપ્રેશર માટે અસરકારક છે. રિસર્ચ અનુસાર, બીટરૂટ જ્યૂસથી તમે ગણતરીના કલાકોમાં જ બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકો છો.
ઉનાળામાં સરળતાથી મળતાં તરબૂચમાં રહેલું Citrulline લોહીની નળીઓમાં નાઇટ્રિક ઓક્સાઇડ (nitric oxide)નું ઉત્પાદન વધારે છે, જેનાથી ધમનીઓ અને નસોને આરામ મળે છે. તરબૂચની પુરતી માત્રા તમારાં બ્લડપ્રેશરને કંટ્રોલમાં લાવવા માટે અસરકારક છે.
શું તમે જાણો છો કે, વજન ઘટાડવામાં અકસીર ઓટ્સ તમારાં બ્લડપ્રેશર માટે પણ એટલાં જ ફાયદાકારક છે? ઓટ્સમાં રહેલા બીટા-ગ્લૂકન (beta-glucan) બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે. તેમાં રહેલું ફાઇબર મેટાબોલિઝ્મ માટે ફાયદાકારક છે. આ સિવાય તે શરીરમાં કોલેસ્ટ્રેલનું પ્રમાણ ઘટાડે છે, જેની સીધી અસર બ્લડપ્રેશર પર થાય છે.
લસણની એક કળીમાં જ કેટલાં બધા ગુણ છે તેનાથી તમે અજાણ નહીં હોવ, પણ શું તમે જાણો છો કે, તે માત્ર એન્ટી-બાયોટિક (antibiotic) કે એન્ટી-ફંગલ (antifungal) ફૂડ જ નથી. લસણ લોહીની નસો માટે જરૂરી નાઇટ્રિક ઓક્સાઇડ પ્રોડ્યૂસ કરે છે અને બ્લડપ્રેશરને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આ સિવાય તેમાં રહેલું એલિસિન (allicin) માનવ-શરીર માટે ખૂબ જ જરૂરી છે અને તે અન્ય બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
રિસર્ચ અનુસાર, દાડમનું જ્યૂસ પીવાથી સિસ્ટોલિક (systolic blood pressure)માં ઘટાડો થાય છે. ન્યૂટ્રિશનિસ્ટ હેતી વર્માએ અગાઉ જણાવ્યું તેમ લાલ રંગના ફૂટ્સમાં દાડમને હેલ્ધી-હાર્ટ ફ્રૂટ્સ (heart-healthy fruit) કહેવામાં આવે છે. દાડમનો જ્યૂસ રેગ્યુલર પીવાથી સિસ્ટોલિક બ્લડપ્રેશરમાં રાહત મળે છે.
પોટેશિયમથી ભરપૂર કેળાં હાઇપર ટેન્શનને મેનેજ કરવા માટે ખૂબ જ મહત્વના ગણવામાં આવે છે. અમેરિકન હાર્ટ એસોશિએશન દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં પણ કેળાંથી શરીરમાં સોડિયમની ઇફેક્ટ ઓછી થાય છે અને તે ધમનીઓની દિવાલ પર બ્લડપ્રેશરના ટેન્શનના રિલીઝ કરવામાં ફાયદાકારક છે તેવું સાબિત થયું છે.
નોંધઃ આ લેખ સામાન્ય જાણકારી માટે છે, અહીં દર્શાવેલી માહિતી ન્યૂટ્રિશનિસ્ટ્સના માર્ગદર્શન હેઠળ પ્રકાશિત કરવામાં આવી છે. તેમ છતાં તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.
સ્વતંત્ર સમાચાર