ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023 : જૂનાગઢમાં પહેલી જાન્યુઆરી 2023 ના રોજ 37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તેમજ તારીખ પાંચમી ફેબ્રુઆરી 2023 ના રોજ 15મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજનાર છે આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના સ્પર્ધાકોની ગિરનાર સીડી વિલિગડન ડેમ સાઈડ પર તનતોડ પ્રેક્ટિસ કરતા નજરે જોવા મળે છે.
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023
જૂનાગઢમાં 1 જાન્યુઆરી 2023 ના રોજ 37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાનાર છે તેમજ તારીખ 5મી ફેબ્રુઆરી 2023 ના રોજ 15મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજના છે જેને લઈને જેમાં ભાગ લેનાર સ્પર્ધકો દ્વારા અત્યારથી વિવિધ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જૂનાગઢમાં યોજાનાર ગિરનાર સ્પર્ધાને લઈને સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે 2023 ના પ્રથમ સપ્તાહમાં એટલે પહેલા જ દિવસે યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કુલ 1457 સ્પર્ધકો નું રજીસ્ટ્રેશન થયું છે
આ સ્પર્ધામાં અવ્વલ નંબર મેળવવા માટે સ્પર્ધકો દ્વારા વિવિધ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે ગિરનારની સીડી પર તેમજ વીલીંડન ડેમ સાઈડ ઉપર વહેલી સવારે સ્પર્ધકો દ્વારા અંગ કસરતો તેમજ અન્ય તૈયારીઓ કરતા નજરે ચડે છે અત્યાર સુધી સ્પર્ધકોને મળતા પ્રમાણપત્રોનું કંઈ મૂલ્ય નથી જેને લઈને દર વર્ષે સ્પર્ધકો દ્વારા તેમને મળતા પ્રમાણપત્રનું સરકારી નોકરીમાં મૂલ્યાંકન કરવામાં આવે તેવી રજૂઆત કરી છે ગુજરાત મનપા દ્વારા 2022-23 ના બજેટમાં ગિરનાર સ્પર્ધાના સ્પર્ધકો માટે ત્રણ લાખની જોગવાઈ કરી હોવાની જાહેરાત કરી હતી સાહસિકતા યોજના હેઠળ દરેક કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન લેનાર સ્પર્ધકને મનપા તરફથી રોકડ પુરસ્કાર શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવશે