અંકલેશ્વર : અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં ગણેશ મહોત્સવને લઈને અંકલેશ્વર ગણેશ મંડળના અયોજકો અને શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંડળો દ્વારા નર્મદા નદી માં ગણેશજી ની મૂર્તિ વિસર્જન કરવા દેવામાં આવે એની માંગણી કરવામાં આવી છે
પણ હજી સુધી વહીવટી તંત્ર દ્વારા માંગ પુરી કરવામાં આવી નથી, હવે ગણેશ મંડળના આયોજકો એક જ માંગ કરી રહિયા છે, જો આ ગણેશજીની મૂર્તિ વિસર્જન નર્મદા નદી માં નહિ કરવામાં આવે તો વહીવટી તંત્ર જે પણ કરશે એ કરવા રેડી છે.
નર્મદા નદીમાં ગણેશ વિસર્જન નહિ કરવાના નિર્ણયને પગલે ગણેશ આયોજકો કર્યું વોકઆઉટ.ગણેશ આયોજકો મિટિંગ છોડી જતા રહેતા તંત્ર મનામણાં અર્થે લાગ્યું કામે.
જયારે પોલીસ વિભાગ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ પૂર્ણ અને ભાઈચારની ભાવનાઓ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવાય તેવી અપીલ કરી હતી.આ બેઠકમાં પાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.